શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ – ૧ (એકમ) સોમવાર તારીખ ૨૨/૦૯/૨૦૨૫ના રોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
આરતી સવારે ૦૭:૩૦ થી ૦૮:૦૦, દર્શન સવારે ૦૮:૦૦ થી ૧૧:૩૦, રાજભોગ ૧૨ કલાકે, દર્શન બપોર ૧૨:૩૦ થી ૧૬:૧૫, આરતી સાંજે ૧૮:૩૦ થી ૧૯:૦૦ દર્શન સાંજે ૧૯:૦૦ થી ૨૧:૦૦ વાગ્યા સુધીનો સમય રહેશે.
આ સાથે નવરાત્રી અંગેનો કાર્યક્રમ (૧)ઘટ સ્થાપન આસો સુદ-૧ સોમવારને તા.૨૨/૦૯/૨૦૨૫. સમય સવારે ૦૯:૦૦ થી ૧૦:૩૦ કલાકે (૨) દુર્ગાષ્ટમી આસો સુદ-૮ મંગળવારને તા. ૩૦/૦૯/૨૦૨૫. આરતી સવારે ૬-૦૦ કલાકે થશે. (૩) ઉત્થાપન આસો સુદ-૮ મંગળવારને તા.૩૦/૦૯/૨૦૨૫ સવારે ૧૨:૦૦ કલાકે, (૪) વિજયાદશમી આસો સુદ-૧૦ ગુરૂવારને તા.૦૨/૧૦/૨૦૨૫ સાંજે ૫:૦૦ કલાકે, (૬) દુધ પૌઆનો ભોગ (પુનમ) તા.૦૬/૦૯/૨૦૨૫ સોમવારના રોજ રાત્રે ૧૨:૦૦ કલાકે કપુર આરતી, (૭) આસો સુદ (પુનમ) આસો સુદ-૧૫(પુનમ) મંગળવાર તા.૦૭/૧૦/૨૦૨૫. આરતી સવારે ૬-૦૦ કલાકે રહેશે. તા.૦૮/૧૦/૨૦૨૫ના રોજથી આરતી-દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે.