‘મહેર કરો મા મેલડી’ નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું. નામ પરથી એ ધાર્મિક ફિલ્મ હોય એવું લાગશે પણ આ એક સામાજિક ફિલ્મ છે જેમાં માતા પ્રત્યેની શ્રદ્ધા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં માતાજીના કો ઈ ચમત્કાર કે પરચા દર્શાવાયા નથી પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાજપીપળાના વિવિધ લો કેશન પર ફિલ્માવાયેલી ફિલ્મના નિર્માતા પ્રફુલભાઈ આ અગાઉ એક હિન્દી (તકદીર કે ફેરે) અને ગુજરાતી (પ્રીતે બંધાયેલા પારેવડાં) ફિલ્મ બનાવી ચુક્યા છે. મૂળ જામનગરનો ગુટકા પરિવાર વરસો પહેલાં મું બઈ સ્થાયી થયો હતો. પ્રફુલભાઈની ઓળખાણ મધુર ભંડારકર સાથે થઈ. પ્રફુલભાઈએ એ સંમયે ફિલ્મનું નિર્માણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમણે મધુર ભંડારકરની બહેન રાધિકા ભંડારકરને હિન્દી ફિલ્મ ત કદીર કે ફેરેમાં મોકો આપ્યો. ફિલ્મે સારો ધંધો કરતા પોતાના પ્રોડક્શન હાઉસ ભુવનેશ્વરી ફિલ્મ્સની સ્થાપના કરી.
માતાને કેન્દ્રમાં રાખી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ સાથે અમારો સ્પષ્ટ અભિગમ હતો કે ફિલ્મમાં માતાજીની મહિમાના ગુણગાન હશે પણ ક્યાંય અંધશ્રદ્ધા કે પરચા નહીં હોય.
ફિલ્મની વાર્તા એક બિઝનેસ મેન (રાજીવ પંચાલ) અને એમના પરિવારની છે જેમાં રાજીવનાં પત્નીની(પૂજા સોની)ના બોલ કોઈ ઉથાપી શક્તું નથી. તેમનો પુત્ર (નીરવ ક્લાલ) સરળ સ્વભાવનો છે અને ધંધાના કામાર્થે ગામ જાય છે જ્યાં એયુવતી (આરઝુ લિમ્બચિયા)ના પ્રેમમાં પડે છે. એટલું જનહીં, એની સાથે લગ્ન પણ કરી લે છે. લગ્ન બાદ સાસરે આવેલી પુત્રવધુને સાચુ સ્વીકારવા તૈયાર નથી. અને શરૂથાય છે સાસુ-વહુ વચ્ચે એક એવો સંઘર્ષ જેનો કોઈ અંત જણાતો નથી પણ મહેર માતાની પરમ ભક્ત પુત્રવધુને વિશ્વાસ છે કે મહેર માતો ચોક્કસ કૃપા વરસાવશે.
નિલેશ મહેતાના દિગ્દર્શનમાં મહેર કરો મા મેલડીનું નિર્માણ કર્યું છે. રવિના નાગરિયા (શાહ)એ મહેર માતા પર એક સુંદર વાર્તા લખી હતી જેના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મની પટકથા અને સંવાદ અશો ૬ ઉપાધ્યાયે લખ્યા છે. ફિલ્મમાં નીરવ કલાલ, આરઝુ લિમ્બચિયા, રાજીવ પંચાલ, પૂજા સોની, ધરા ત્રિવેદી, દર્શન માવાણી, નિકુંજમહેતા ઉપરાંત પરેશ રાઠોડ, કૌશિકા ગોસ્વામી, પૂર્વીશાહ,વિરાજ સોલંકી, હંસા સોનાર, નૈષધ રાવલ, જૈવલ સોની અને પી. સી. કાપડિયા જેવા કલાકારો છે.
