Read Time:1 Minute, 15 Second
સાળંગપુરધામ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય શાસ્ત્રી સ્વામી
શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 30-08-2025,
શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યા હતા.વિવિધ પ્રકારના સૂકા
મેવા -ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.
સવારે મંગળા આરતી 5:30 કલાકે તેમજ 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ, સવારે 8:00 કલાકે શ્રીહરિ મંદિરમાં ગણપતિદાદાનું પૂજન -અર્ચન-આરતી કરવામાં આવી હતી. આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને બદામ, પિસ્તા, અંજીર, કાજુ અને અન્ય વિવિધ પ્રકારના સૂકા મેવા -ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. આ અન્નકૂટ દર્શન અનેક ભક્તોએ કરી ધન્યતા અનુભવી હતી.
