ગુજરાત માટે આજે એક સુવર્ણ અક્ષરે લખવા જેવી ક્ષણ છે. ભારતના અંતરિક્ષ ઈતિહાસમાં પ્રથમ વખત, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવેલ ‘સંસ્કારસેટ-1’ સ્ટુડન્ટ સેટેલાઇટ આજે સવારે 10.17 કલાકે શ્રીહરિકોટાથી અવકાશમાં ઝંપલાવે તે પહેલા મિશનના ત્રીજા સ્ટેજમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે સેટેલાઈટ તેના નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત થઈ શક્યો નહીં
ઈસરોના જણાવ્યા મુજબ મિશનના ત્રીજા સ્ટેજમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે સેટેલાઈટ તેના નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત થઈ શક્યો નહીં અને તે રસ્તો ભટકી ગયો હતો. ISROના વડા ડૉ. વી. નારાયણને એક નિવેદન જાહેરી કરીને કહ્યું, “ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને રોકેટની દિશા બદલાઈ ગઈ.
સંસ્કારધામ સંસ્થા આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ અમદાવાદની સંસ્કારધામ સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓની મહેનત રહેલી છે. આ પ્રોજેક્ટની સૌથી વિશેષ વાત એ છે કે ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓએ આ મિશનમાં શરૂઆતથી અંત સુધી પ્રત્યક્ષ કામ કર્યું છે. જે ઉંમરે બાળકો સામાન્ય રીતે પાઠ્યપુસ્તકો વાંચતા હોય છે, તે ઉંમરે આ વિદ્યાર્થીઓએ જટિલ સેટેલાઇટ ટેકનોલોજી પર કામ કરીને વિશ્વને પોતાની તાકાત બતાવી છે.
ઈસરોના જણાવ્યા મુજબ મિશનના ત્રીજા સ્ટેજમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે સેટેલાઈટ તેના નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત થઈ શક્યો નહીં અને તે રસ્તો ભટકી ગયો હતો. ISROના વડા ડૉ. વી. નારાયણને એક નિવેદન જાહેરી કરીને કહ્યું, “ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને રોકેટની દિશા બદલાઈ ગઈ.
ISROએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું, PSLV-C62 મિશનના PS3 તબક્કાના અંતે એક મુશ્કેલી પડી છે. વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
ઈસરોનું PSLV-C62 મિશન ફેલ થયું. ઈસરોના વડા વી. નારાયણને જણાવ્યું કે સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. બીજો સ્ટેજ પણ સફળ રહ્યો, પરંતુ ત્રીજા સ્ટેજમાંથી ડેટા મેળવવાનું મુશ્કેલ બન્યું. તે રસ્તો ભટકી ગયું. મિશનનો ચોથો સ્ટેજ શરૂ થયો, પરંતુ તે પછી કોઈ અપડેટેડ ડેટા મળ્યા નહીં. અમે ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ.