19 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન અને આરતીના સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.
સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રિના દર્શન અને આરતીના સમયમાં પ્રથમ દિવસે સવારે 07:30 કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપન કરવામાં આવશે. 19 થી 26 માર્ચ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે સવારે 07:00 થી 07:30 કલાકે આરતી અને ત્યારબાદ 11:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે 12:00 કલાકે માતાજીને રાજભોગ ધરાવાશે, જે બાદ ભાવિકો 12:30 થી સાંજે 04:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે. સાંજે 07:00 થી 07:30 દરમિયાન આરતી થશે અને રાત્રે 09:00 વાગ્યા સુધી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રહેશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં ઉમટી પડનારા ભક્તોને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે જેથી માઈભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે.