અમદાવાદના ચાંદખેડમાંથી કાળજું કંપાવી મૂકે તેવી દર્દનાક ઘટના સામે આવી છે. ચાંદખેડાના મારૂતિ પ્લાઝા રેસિડન્સીમાં રહેતા પરિવારે ઢોસા બનાવવા માટેનું ખીરું બજારમાંથી મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ ૩ મહિના અને ૪ વર્ષની બે માસૂમ બાળકીઓના કરુણ મોત નીપજ્યા છે.
ચાંદખેડામાં કાળજું કંપાવી મૂકે તેવી દર્દનાક ઘટના
ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત
દંપતી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
દંપતી હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સમગ્ર મામલે ફૂડ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક આરોગ્ય તંત્ર ચૂંટણીના કાર્યક્રમમાં વ્યસ્ત જોવા મળ્યું હતું. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા દંપતીની દરકાર લેવાની તસ્દી સુદ્ધા તંત્ર ઘ્વારા લેવામાં આવી નથી
https://www.instagram.com/reel/DWyPgr_E9is/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==