અમદાવાદ ના ચાંદખેડા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકર ક્રિકેટ એસોસિ્યેશન દ્વારા આયોજિત “નશામુક્તિ અભિયાન” અંતર્ગત શ્રી અખિલ વઢિયાર ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન-1 નું આયોજન કરવામાં આવ્યું છે.
“નશામુક્તિ અભિયાન” અંતર્ગત સિઝન બોલ પર ક્રિકેટનું આયોજન
અનુસૂચિત સમાજના લોકોમાં જન-જાગૃતિ કેળવાય અને “નશામુક્તિ અભિયાન” અંતર્ગત સિઝન બોલ પર ક્રિકેટનું આયોજન
બાબા સાહેબ આંબેડકર ક્રિકેટ એસોસિ્યેશન દ્વારા આયોજિત શ્રી અખિલ વઢિયાર પ્રીમિયર લીગ સીઝન-1
બે દિવસમાં 6 મેચ રમાશે
તમામ ટીમોના નામ બાબા સાહેબ આંબેડકરના વિચારોને ધ્યાનમાં રાખીને રખાયા
ઓનલાઇન ઓક્શન સાથે લાઇવ સ્ટ્રીમિંગ મેચ
સમાજ ના દરેક લોકોના સાથ સહયોગ થી સુગમભર્યું આયોજન કરાયું
બાબા સાહેબ આંબેડકર ક્રિકેટ એસોસિ્યેશન દ્વારા આયોજિત શ્રી અખિલ વઢિયાર પ્રીમિયર લીગ સીઝન ૧ અમદાવાદ અનુસૂચિત સમાજ ના લોકોમાં જન જાગૃતિ તથા ભાઈચારાની ભાવના કેળવાય એ માટે “નશામુક્તિ અભિયાન” અંતર્ગત સિઝન બોલ પર ક્રિકેટ નું ચરણબદ્ધ આયોજન ડો. આંબેડકર તથા રમાબાઈ મેદાન માં તારિખ ૨૬/૨૭ ના રોજ બેદિવસીય ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલું છે.ટોટલ 10 ટિમો એ ભાગ લીધેલ છેઃ જેમાં હરરોજ 6 મેચ રમાશે. તમામ ટીમ નું નામ બાબા સાહેબ આંબેડકર ના વિચારોને ધ્યાનમાં રાખી ને રાખવામાં આવ્યું છે.એમતો આવી ટુર્નામેન્ટ માં આયોજન નો ઇતિહાસ જૂનો છે પણ આ વખતે નવો ચીલો ચાતરવામાં આયો છે..
ઓનલાઇન ઓક્શન સાથે લાઇવ સ્ટ્રીમિંગ તથા સમાજ ના દરેક લોકો ના સાથ સહયોગ થી સુગમ ભર્યું આયોજન કરવામાં આવેલ છે..
ટુર્નામેન્ટમાં જીતનાર ટિમ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. વિનર ટીમને ટ્રોફી (ગોલ્ડન મેડલ) અપાશે અને રનર અપ – રનર અપ ટ્રોફી (સિલ્વર મેડલ) આપવામાં આવશે.