Read Time:55 Second
અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે, અસારવા બ્રિજ છેલ્લા બે દિવસથી કોઈપણ પ્રકારની પૂર્વજાહેરાત કર્યા વગર બંધ કરી દેવાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં જવા માટે અસારવા ચકલા પરથી ડાયવર્ઝન આપ્યું છે.
આ બ્રિજ ૨૬ મહિનાની અવધિ માટે બંધ રહેશે, તેથી સત્તાવાળાઓએ અગાઉથી પ્રજાને યોગ્ય જાણકારી આપવી આવશ્યક હતી. ખાસ કરીને આ બ્રિજ ઉપરથી સિવિલ હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચવાનું સહેલું થતું હતું. હવે એમ્બ્યુલન્સને ફરતો માર્ગ અપનાવી સિવિલ હોસ્પિટલ પહોંચવું પડશે.
