2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને 33% અનામત! હવે સંસદમાં વધશે મહિલાઓનું જોર
Views: 270
0 0

Read Time:2 Minute, 30 Second

ભારત સરકાર દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે અત્યંત ગંભીર જણાઈ રહી છે. વર્ષ 2023માં પસાર થયેલા ‘નારી શક્તિ વંદન કાયદા’ને વર્ષ 2029ની લોકસભા ચૂંટણી સુધીમાં અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે કવાયત તેજ કરી છે.

હાલના અહેવાલો મુજબ, સરકાર આ કાયદામાં જરૂરી સુધારા કરવા પર વિચાર કરી રહી છે જેથી સીમાંકન (Delimitation) પ્રક્રિયામાં વિલંબ થાય તો પણ મહિલાઓને 33% અનામતનો લાભ મળી શકે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચના તાજેતરના ડેટા મુજબ, દેશભરના કુલ 4,666 સાંસદો અને ધારાસભ્યોમાંથી માત્ર 464 (અંદાજે 10%) મહિલાઓ છે. આ આંકડો દર્શાવે છે કે મહિલાઓનું રાજકીય પ્રતિનિધિત્વ હજુ પણ ખૂબ ઓછું છે. જોકે, 2023માં ઘડાયેલા કાયદામાં એવી જોગવાઈ હતી કે જનગણના અને સીમાંકન બાદ જ અનામત લાગુ થશે. આ શરતને કારણે અમલીકરણમાં વિલંબ થવાની શક્યતા હતી, જેને હવે સરકાર દૂર કરવા માંગે છે.

નવી યોજના મુજબ, દેશમાં ડિજિટલ જનગણનાની પ્રક્રિયા 1 માર્ચ, 2027 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. સામાન્ય રીતે વસ્તી ગણતરી અને સીમાંકનમાં ઘણો સમય લાગે છે, પરંતુ ડિજિટલ રેકોર્ડિંગને કારણે આ પ્રક્રિયા ઝડપી બનશે. સરકાર હવે મહિલા અનામતને સીમાંકન પ્રક્રિયાથી અલગ કરવા માટે કાયદાકીય પાસાઓ તપાસી રહી છે, જેથી 2029ની ચૂંટણીમાં જ મહિલા ઉમેદવારો માટે 33% બેઠકો અનામત રાખી શકાય.

કેન્દ્ર સરકાર આ સંવેદનશીલ મુદ્દે સાથી પક્ષો અને વિરોધ પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ જ આગળ વધશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં મહિલાઓને તેમનો બંધારણીય હક અપાવવાનો છે. જો આ સુધારો પસાર થાય છે, તો ભારતની સંસદનું ચિત્ર આગામી ચૂંટણીમાં સંપૂર્ણપણે બદલાઈ જશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!