આદ્યશક્તિ માં જગતજનની અંબાના ધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
આજે ચૈત્રી આઠમ એટલે કે, દુર્ગાષ્ટમીના પાવન અવસરે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ મેળવવા અને મંગળા આરતીનો લહાવો લેવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા…