Read Time:1 Minute, 17 Second
આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા છે, જેનું દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે.
https://www.instagram.com/reel/DWnYaFgE6Sf/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’નો દબદબાભેર પ્રારંભ થયો છે. આજે 2જી એપ્રિલના રોજ હનુમાન જયંતીના મુખ્ય દિવસે વહેલી સવારે મંગળા આરતી અને ત્યાર બાદ શણગાર આરતી સાથે જન્મોત્સવની ઉજવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
દિવસ દરમિયાન વિશેષ રૂપે 151 કિલોની કેક કાપીને અને 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે દાદાનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા યોજાશે.